ટંકારા તાલુકા પંચાયતની કારોબારી અને સામાન્ય સભા મળી

- text


ટંકારા નગરપાલિકા સહિતના મુદ્દાઓ સામાન્ય સભામાં ઉછળ્યા

ટંકારા : ટંકારા તાલુકા પંચાયત ખાતે આજરોજ કારોબારી અને સામાન્ય સભાનું આયોજન કરાયું હતું. જેમાં મોરબી જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા ભુપત ગોધાણીએ રાજકોટ ગેમ ઝોન ઘટનાના હતભાગીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી સામાન્ય સભા યોજવા ટકોર કર્યા બાદ બે મિનિટ મૌન પાળી પ્રાર્થના કરવામાં આવી હતી. તેમજ અનેક પ્રશ્નો સાથે વિપક્ષ નેતા જિલ્લા પંચાયત મોરબીએ દલીલ કરી હતી. ટંકારા નગરપાલિકાનો મુદ્દો પણ સામાન્ય સભામાં ઉઠયો હતો. પ્રજા વહિવટદાર વાંકે હેરાન પરેશાન થઈ રહી છે. તેવો વિપક્ષે સત્તાધીશો પર આક્ષેપ લગાવ્યો હતો.

ટંકારા તાલુકા પંચાયત ખાતે આજ રોજ પ્રમુખ છાંયાબેન અરવિંદભાઇ માંડવીયાના અધ્યક્ષસ્થાને ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી પરાસરાજી ચૂંટાયેલા સહીત હાજર સભ્યો સાથે કારોબારી સમિતિની બેઠક પુર્ણ થયા બાદ સામાન્ય સભાની મિટિંગ કક્ષામાં મળી હતી. જેમાં શિક્ષણ, ખેડૂતો, મકાન વિહોણા નગરજનો, વહિવટદાર અને ટલ્લે ચડેલા કામો ઉપરાંત આંગણવાડીના પશ્નનો ઉઠયા હતા. સૌથી અગત્યની વાત એ છે કે આ મિટિંગમાં તાલુકા પંચાયતના કોંગ્રેસના એક પણ સભ્ય હાજર રહ્યા ન હતા. જયારે કોગ્રેસના જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા ભુપત ગોધાણી આ સામાન્ય સભામાં હાજર રહી ધારદાર રજૂઆત કરી અનેક કામગીરી ઉપર સવાલ ઉભા કરી જવાબો માંગ્યા હતા. સાથે 36 જેટલા લાભાર્થીને પ્લોટ ફાળવવામાં વિલંબ અંગે તાત્કાલિક કાર્યવાહી કરવા સુચન કર્યું હતું. તો બીજી તરફ સામાન્ય સભામાં એજન્ડા અને કાર્યવાહી અંગે વાકેફ કરવા તથા લગત તમામ વિભાગના કર્મચારીઓ હાજર રહે એવી ટકોર કરી હતી. ઉપરાંત શિક્ષણ વિભાગના નામ બદલાવના પ્રશ્નને શાશક પક્ષે પણ ટેકો આપ્યો હતો અને લોકોના કામો કરવા ખાત્રી આપી હતી.

- text

- text