સરાહનીય કાર્ય : જોય ઓફ ગીવિંગ દ્વારા 523 બાળકોને શૈક્ષણિક કીટ અપાઈ

- text


મોરબી : મોરબીમાં જોય ઓફ ગીવિંગ દ્વારા સરકારી શાળાએ જતાં બાલ વાટિકાથી ધોરણ 8ના 523 બાળકોને શૈક્ષણિક કીટ આપી વિદ્યા સહાય કરવામાં આવી હતી. આ ગ્રુપ 2012 થી વિદ્યા સહાયનું કાર્ય કરે છે. આ વેળાએ ગ્રુપના સ્થાપક ભાવિપ્રસાદ રાવલ ઘનશ્યામભાઈ અઘારા તેમજ સીતારામભાઈ રામાનુજ ઉપસ્થિત રહ્યાં હતાં. તેમ યાદીમાં જણાવાયું છે.

- text