મોરબીમાં નિવાસી તાલીમ વર્ગ યોજવા માંગતી સંસ્થાઓએ રોજગાર કચેરીનો સંપર્ક કરવો

- text


મોરબી : જિલ્લા રોજગાર કચેરી મોરબી દ્વારા આગામી જુલાઈ-2024 માસમાં 30 દિવસ માટે સંરક્ષણ દળોમાં જોડાવા માટે વિદ્યાર્થીઓના નિવાસી તાલીમ વર્ગનું આયોજન કરાયું છે. આ નિવાસી તાલીમ માટે હોસ્ટેલ, ક્લાસરૂમ, રસોડુ, ગ્રાઉન્ડની સુવિધા ધરાવતી શૈક્ષણિક/સામાજિક સંસ્થાની જરૂરિયાત હોય જેના માટે રસ ધરાવતી શૈક્ષણિક/સામજિક સંસ્થાઓએ પાંચ દિવસમાં જિલ્લા રોજગાર કચેરી મોરબીનો સંપર્ક કરવા જિલ્લા રોજગાર અધિકારી મોરબીની અખબારી યાદીમાં જણાવાયું છે.

- text

- text