- text
માળિયા (મિ.) : રાજ્ય સરકાર દ્વારા 26 જૂન થી ત્રણ દિવસ સુધી રાજ્યભરમાં આવેલી સરકારી શાળાઓમાં કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવનું આયોજન કર્યું છે. ત્યારે માળિયા (મિ.) તાલુકાના જુના ઘાંટીલા ગામે પણ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરાયું હતું. જેમાં પંચાયત ગ્રામ ગૃહ વિભાગના ઉપ સચિવ દર્શનભાઈ દેસાઈ, માળિયાના તાલુકા વિકાસ અધિકારી વાઘેલા સાહેબ, ગામના સરપંચ ઉમેશભાઈ, તલાટી કમ મંત્રી દીપકભાઈ, આરડીસી બેંકના ડિરેક્ટર અમુભાઈ વિડજા તથા ગામના આગેવાનો હાજર રહ્યા હતા. જેમાં આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ 1માં બાળકોને ઉત્સાહભેર પ્રવેશ આપવામાં આવ્યો હતો.
- text
- text