21 જુલાઈએ મોરબીના શાંતિવન આશ્રમમાં ગુરુ પૂર્ણિમા ભવ્યોત્સવનું આયોજન

- text


ગુરુપૂજન, મહાપ્રસાદ, સત્યનારાયણ ભગવાનની કથા અને સંતવાણી કાર્યક્રમ યોજાશે

મોરબી : મોરબીના ધોળેશ્વર રોડ પર આવેલા રત્નેશ્વર મહાદેવ, શાંતિવન આશ્રમ ખાતે આગામી તારીખ 21 જુલાઈના રોજ ગુરુ પૂર્ણિમા ભવ્યોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

શાંતિવન આશ્રમે કેશવાનંદ બાપુના સાનિધ્યમાં અષાઢ સુદ પૂનમ એટલે કે ગુરુ પૂર્ણિમાના પાવન પર્વની ભાવભેર ઉજવણી કરવામાં આવશે. જેમાં 21 જુલાઈના રોજ સવારે 7 કલાકે ગુરુ પૂજન તથા ગુરુયાગ તેમજ સાંજે સત્યનારાણ ભગવાનની કથા અને રાત્રે 10 કલાકે સંતવાણી કાર્યક્રમ યોજાશે. સંતવાણી કાર્યક્રમમાં ભજનીક લલીતાબેન ઘોડાદ્રા, દલસુખભાઈ પ્રજાપતી, ઉસ્તાદ (રાજકોટવાળા) લાલાભાઈ, ઉસ્તાદ હરીરામ સાધુ, બેન્જોવાદક વિજયભાઈ મકવાણા, વાયોલીન વાદક રાહુલભાઈ મકવાણા અને સ્ટેજ સંચાલક તરીકે શૈલેષભાઈ રાવલ ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે બપોરે 11 કલાકે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો આ પર્વે સંત દર્શનનો લ્હાવો લેવા શાંતિવન આશ્રમ દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવાયું છે.

- text