હળવદના જોગડ ગામે વીજળી પડતા ખેતશ્રમિકનું મૃત્યુ

- text


હળવદ : હળવદ તાલુકાના જોગડ ગામે ગઈકાલે સાંજના સમયે ગાજવીજ સાથે વરસાદ વરસતો હતો ત્યારે જોગડ ગામની સીમમાં ખેત મજૂરી કરતા અનિલભાઈ અર્જુનભાઇ નાયક ઉ.22 ઉપર આકાશી વીજળી પડતા ખેત શ્રમિક અનિલભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text