હળવદની પાંડાતીર્થ શાળામાં મહાનુભાવોની ઉપસ્થિતમાં પ્રવેશોત્સવ યોજાયો

- text


બાલવાટીકાના 40, ધોરણ-1ના 35 અને માધ્યમિક શાળાના 39 બાળકોને ધોરણ નવમાં પ્રવેશ અપાયો

હળવદ : હળવદની પાંડાતીર્થ પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાલવાટીકાના 40 બાળકો, ધોરણ-1ના 35 બાળકો અને માધ્યમિક શાળાના 39 જેટલા બાળકોને નવમાં ધોરણમાં પ્રવેશ આપવામાં આવ્યો.

આ પ્રસંગે શાળાઓમાં હંમેશા ફૂલ નહિં તો ફૂલની પાંખડીરૂપે દાનની સરવાણી વ્હેવડાવનાર દાતાઓનું ધો.3 થી 10માં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર તેમજ CET અને NMMS પરીક્ષામાં નંબર પ્રાપ્ત કરનાર તેજસ્વી તરલાઓનું અને ગામની શાળામાં અભ્યાસ કરી સરકારી મહેકમ નોકરી પ્રાપ્ત કરનાર કર્મવિરોનું મહાનુભાવોના કર કમળોથી સાલ ઓઢાડી સન્માન કરાયું હતું.

પ્રવેશોત્સવમાં હળવદ-ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, શિક્ષણ સમિતિના ચેરમેન નથુભાઈ કડીવાર, બાંધકામ સમિતિ જિલ્લા પંચાયત ચેરમેન મેરાભાઈ વિઠ્ઠલાપરા, હળવદ તાલુકા ભાજપ પ્રમુખ મનસુખ ગોરીયા, તાલુકા ભાજપ મહામંત્રી ભરતભાઈ, તેમજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-મોરબીના જિલ્લા અધ્યક્ષ દિનેશભાઈ વડસોલા, મહિલા અને બાળ વિકાસ ચેરમેન રવજીભાઈ પરમાર, ભાજપ અગ્રણી વલ્લભભાઈ પટેલ, ટી.ઈ.પી.ઓ. દિપાબેન બોડા, હળવદ પીએસઆઈ આર.એફ.ઓ.જાડેજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

જેમાં પ્રવેશપાત્ર તમામ બાળકોને ભણીગણીને ખૂબ આગળ વધવાની શુભેચ્છાઓ પાઠવી હતી. પાંડાતીર્થ શાળાની બાળાઓએ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી પ્રવેશોત્સવની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી. સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા શાળાના આચાર્ય અને મુખ્ય શિક્ષક સંઘના મહામંત્રી મુકેશભાઈ મારવણીયા તેમજ કરશનભાઈ ડોડીયા રાજ્ય પ્રતિનિધિ શૈક્ષિક મહાસંઘ તેમજ તમસમ શિક્ષક ભાઈઓ બહેનોએ ખુબજ જહેમત ઉઠાવી હતી.

- text

- text