મોરબીના ચૌહાણ પરિવાર દ્વારા સ્વજનની સ્મૃતિમાં યોજાશે બ્લડ ડોનેશન કેમ્પ

- text


મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે 1 જુલાઈના રોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

મોરબી : મોરબીમાં સ્વ. સુરેશભાઈ અમૃતલાલ ચૌહાણની સ્નેહ સ્મૃતિમાં પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ પાઠવવા તારીખ 1-7-2024 ને સોમવારના રોજ સવારે 9 થી 12:30 કલાક દરમ્યાન મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સિવિલ હોસ્પિટલમાં કોઈપણ જરૂરિયાતમંદને બ્લડ મફતમાં આપવામાં આવે છે, તેથી સિવિલ ખાતે આ આયોજન કરાયું છે. આ કેમ્પમાં બ્લડ ડોનેટ કરવા ઇચ્છુકે મો. નં. 95860 52226 / 85300 00088 પર સંપર્ક કરી પોતાનું નામ નોંધાવવા જણાવાયું છે. બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા પંકજભાઈ સુરેશભાઈ ચૌહાણ અને અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

- text

- text