વ્યાજખોરીના દુષણને ડામવા મોરબી જિલ્લા પોલીસ દ્વારા જન સંપર્ક સભાનું આયોજન

- text


મોરબી : હાલ વ્યાજખોરીનું દુષણ ખૂબ જ વ્યાપી ગયું છે. વ્યાજના વિષચક્રમાં ફસાઈને અનેક લોકો જીવ ટૂંકાવી રહ્યા છે અને પાછળ પરિવારજનોને મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થવું પડી રહ્યું છે. ત્યારે મોરબી જિલ્લા પોલીસ દ્વારા વ્યાજખોરીના દુષણને ડામવા માટે જન સંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું છે.

આગામી તારીખ 27 જૂન ને ગુરુવારના રોજ સવારે 11 કલાકે મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જન સંપર્ક સભા યોજાશે. જેમાં લોકોને વ્યાજખોરોથી દૂર રહેવા સલાહ-સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવશે. વ્યાજખોરો પાસે નાણા વ્યાજે લેવાને બદલે સરકારી યોજનાઓ, સહકારી મંડળીઓ તથા બેંક પાસેથી નાણા વ્યાજે લઈ આ વ્યાજના વિષચક્રથી કેવી રીતે દૂર રહેવું તે અંગેની માહિતી આપવામાં આવશે. આ સાથે જ લોક-ધિરાણ માર્ગદર્શન કેમ્પ પણ યોજાશે.

- text

- text