- text
ટંકારા : ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે રહેતા મોહનભાઇ રણછોડભાઈ ડોબરીયા ગત તા.15ના રોજ બેભાન બની જતા સારવાર માટે રાજકોટની સીનર્જી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે રાજકોટ પોલીસે જાણ કરતા ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
- text
- text