લાલપર પાસેની કેનાલમાં પડી ગયેલી ગાયને બે ક્રેઈનની મદદથી બહાર કઢાઈ

- text


મોરબી : મોરબીના લાલપર પાસેથી નીકળતી કેનાલમાં પડેલી ગાયને ક્રેઇનની મદદથી બહાર કાઢવામાં આવી હતી. આ ગાય 2 દિવસ પેલા કેનાલમાં પડી ગઈ હતી. જે અંગે સ્થાનિક રહીશોને જાણ થતાં તેઓ દોડી ગયા હતા અને ક્રેઇનની મદદથી ગાયને કેનાલમાંથી બહાર કઢાઈ હતી.

મહત્વનું છે કે લાલપર પાસેથી નીકળટી કેનાલ મચ્છુ-2 ડેમ ખાતે જાય છે. તે કેનાલમાં એક ગાય પડી ગઈ હતી. જે 2 દિવસથી કેનાલમાં જ હતી. આ અંગે સ્થાનિક રહીશો અને સંતકૃપા ક્રેઇન વાળાને જાણ થતાં જ તેઓ ક્રેઇન લઈને દોડી ગયા હતા. આ ગાયનું સિંગડું દરવાજામાં ફસાઈ ગયું હોવાથી બે ક્રેઇનની મદદથી મૃત ગાયને બહાર કાઢવામાં આવી હતી.

- text

- text