વાંકાનેરમાં જુના ઝઘડાના ખારમાં બે પરિવારો વચ્ચે મારામારી 

- text


મારામારીના બનાવમાં બન્ને પક્ષના લોકો ઈજાગ્રસ્ત : સામસામી ફરિયાદ નોંધાઈ 

વાંકાનેર : વાંકાનેર શહેરના કુંભારપરામાં જુના ઝઘડાનો ખાર રાખી ત્રણ શખ્સોએ પરિવાર ઉપર હુમલો કરતા મહિલા સહિતના લોકોને ઈજાઓ પહોંચી હતી જયારે સામાપક્ષે આંબેડકરનગર સામાવાળા જૂથના બે લોકોએ આવી એક વ્યક્તિને માથામાં ઈટના ઘા મારી ઇજા પહોંચાડતા બનાવ અંગે સામસામી ફરિયાદ નોંધાઈ છે.

જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના રમણભાઇની વાડી વિસ્તાર કુંભારપરામાં રહેતા ફરિયાદી નરેશભાઇ પ્રેમજીભાઇ સોલંકીએ આરોપી કૌશીકભાઇ ધીરૂભાઇ રાઠોડ, કુલદીપભાઇ કાળૂભાઇ રાઠોડ અને ટીપુ કાળુભાઇ રાઠોડ રહે.ત્રણેય આંબેડકરનગર વાંકાનેર તથા ત્રણ અજાણ્યા માણસો તથા તપાસમા ખુલ્લે તે તમામ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, તેમના પુત્ર પ્રભાતભાઇને આરોપીઓના સંબંધી સાથે ઝઘડો થયો હોય આરોપીઓએ નરેશભાઈના ઘરમાં ઘુસી લોખંડના પાઇપ તથા લાકડી વડે હુમલો કરી નરેશભાઈના પત્ની નયનબેન તેમજ નરેશભાઈને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.

- text

જયારે સામાપક્ષે જીવણભાઇ ભરતભાઇ રાઠોડ, રહે.કુંભારપરા આંબેડકરનગર વાળાઓએ આરોપી પ્રભાતભાઇ નરેશભાઇ સોલંકી અને ગુગો કનુભાઇ સોલંકી રહે.બન્ને વાંકાનેર આંબેડકરનગર વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, અગાઉ જીવણભાઈના દાદાજી દિવાળી ઉપર ગુજરી ગયેલ હોય તે સમયે આ કામના આરોપી તેમના ઘર પાસે ફટાકડા ફોડતા હોય જેથી ફટાકડા ફોડવાની ના પાડતા ઝગડો થયેલ હોય જેનો ખાર રાખી આરોપીઓએ ઝઘડો કરી માથાના ભાગે ઇંટના બે ઘા મારી ઇજા પહોચાડતા ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગે સામસામી ફરિયાદ નોંધી પોલીસે તપાસ શરુ કરી છે.

- text