- text
પીપળીયા ચાર રસ્તે સત્યસાઈ સ્કૂલમાં બનેલી ઘટના
મોરબી : ન જાણ્યું જાનકી નાથે સવારે શુ થવાનું છે…. ઉક્તિ મુજબ મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક આવેલ શાળામાં બાળકોને ભણાવતી વખતે આધેડ શિક્ષક અચાનક ઢળી પડતા મૃત્યુ નિપજતા અરેરાટી વ્યાપી ગઈ છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક આવેલ સત્યસાઈ સ્કૂલમાં બાળકોને ભણાવતા સમયે શાળાના શિક્ષક છગનભાઇ મોતીભાઈ દાવા ઉ.56 નામના આધેડ અચાનક ઢળી પડતા પ્રથમ નજીકના દવાખાને બાદ મોરબીની ખાનગી શાળામાં ખસેડવામાં આવતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંઘ કરી તપાસ શરૂ કરી છે.
- text
![](https://morbiupdate.com/wp-content/uploads/2024/06/Netrdeep-11-06-2024-scaled.jpg)
- text
![](https://morbiupdate.com/wp-content/uploads/2023/06/27-06-2023-1.gif)