રવિવારે મોરબી હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા નેચરલ વસ્તુઓનું વેચાણ થશે

- text


મોરબી : હરડે પ્રચાર કેન્દ્ર મોરબી અને સાર્થક વિદ્યામંદિરના સહયોગથી આગામી તારીખ 23 જૂન ને રવિવારના રોજ સવારે 9 થી 12 વાગ્યા સુધી મોરબીના સાર્થક વિદ્યામંદિર ખાતે નેચરલ વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે.

આ વેચાણમાં હરડે પાઉડર, ગીલોય ઘનવતી, નેચરલ સાબુ, ગૌમૂત્ર અર્ક, કેળાના પાપડ, આમળા-અરીઠા-શિકાકાઈ પાઉડર, સિંધાલુણ નમક, નગોળનું તેલ, આંબળાની મીઠી કેન્ડી મળશે. આ ઉપરાંત રાહતદરે દસ જાતના ગુલાબ તેમજ અન્ય અલગ અલગ ફૂલછોડનું વિતરણ કરવામાં આવશે. રસોડામાં ઉપયોગી એવા લાકડામાંથી બનાવેલા પાટલા, વેલણ, જેરણી, ગાયના છાણમાંથી બનેલી વસ્તુઓ, પ્રાકૃતિક ખેતીથી પકવેલા શાકભાજી અને તેના બિયારણ, કાપડમાંથી બનેલી થેલીઓ પણ મળશે. આ વિતરણ વ્યવસ્થાનો લાભ લેવા મોરબી હરડે પ્રચાર કેન્દ્રનાં સંયોજક જીતુભાઈ ઠક્કર દ્વારા જણાવાયું છે.

- text

- text