માળિયા (મિ.) : મોટી બરાર ગામે દેવાયત આપા બોદરની પ્રતિમાનું અનાવરણ કરાયું

- text


માળિયા (મિ.) : તારીખ 20 જૂનના રોજ મોટી બરાર ગામે યદુવંશી વીર આહિર દેવાયત આપા બોદરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

આહિરોના વંશીય ઈતિહાસમાં અગ્રીમ પંક્તિના શુરવીર અને આશરા ધર્મની માટે બલિદાન આપનાર દેવાયત આપા બોદરની પ્રતિમાનું મોટી બરાર ગામે અનાવરણ કરવામાં આવ્યું હતું. આવનારી પેઢીમાં સંસ્કાર અને પ્રેરણારૂપ બને તે માટે દેવાયત આપા બોદરની પ્રતિમા મોટી બરાર ગામે મૂકવામાં આવી છે. આ પ્રતિમાનું 20 જૂને વવાણીયા સ્થિત માતૃ શ્રી રામબાઈ મા જગ્યાના મહંત પ્રભુદાસજી મહારાજના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી અને પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી દેવાયત આપા બોદરના બલિદાનને યાદ કરવામાં આવ્યું હતું.

- text

- text