હળવદનો યુવક મોરબી આવવા નીકળ્યા બાદ ગુમ

- text


મોરબી : હળવદથી મોરબી ગઈકાલે કામ અર્થે આવેલ યુવક ઘરે ન પરતા આ મામલે તેમના પરિવારે હળવદ પોલીસને ગુમસુદા અંગે અરજી આપી છે અને તેને શોધી આપવાની માંગ કરી છે.

હળવદમાં સરા રોડ ઉપર આવેલ આસોપાલવ સોસાયટીમાં રહેતા શૈલેષભાઈ આર. કૈલાએ અરજીમાં જણાવ્યું છે કે તેમનો ભાઈ કૈલા જીતેન્દ્રભાઈ રમેશભાઈ, ઉ.વ.૩૪ (પરણીત) હળવદ થી મોરબી મુકામે ટ્રાન્સપોર્ટના ધંધા અર્થે કાયમી આવન જાવન કરે છે અને દરરોજ સવારે જાય અને સાંજના સમયે દરરોજ પરત આવી જાય છે પરંતુ ગઈ તા.૨૦-૬-૨૦૨૪ ના રોજ સવારના આશરે ૮-૦૦ વાગ્યે ઘરેથી મોરબી જવા માટે નિકળેલ હતો. હાલ સુધી ઘરે પરત આવેલ નથી અને તેનો માબાઈલ નંબરમાં સંપર્ક કરીએ તો પણ થતો નથી. જેથી તેની શોધખોળ કરવામાં આવે. જો આ અંગે કોઈને જાણ થાય તો મો.નં. 8140302058 ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

- text

- text