મોરબીના દિવ્યાંગ બાળકે કેદારનાથ યાત્રા પૂર્ણ કરી

- text


મોરબી : મન હોય તો માળવે જવાય આ કહેવાત આપણે અવાર નવાર સાંભળતા હોઈએ છીએ. પરંતુ આ કહેવતને ખરા અર્થમાં સાર્થક કરી છે મોરબીના દિવ્યાંગ બાળક જય ઓરીયાએ.. દિવ્યાંગ બાળક જય ઓરીયાએ કેદારનાથ યાત્રા પૂર્ણ કરી છે.

મોરબીના મનો દિવ્યાંગ જય ઓરીયાએ ઝીરો માઈનસ ડિગ્રીમાં પણ પડકારોનો સામનો કરીને 5 દિવસ કેદારનાથ શિવના સાનિધ્યમાં રોકાયો હતો અને પગપાળા યાત્રા કરી ભૈરવ બાબા, મોદી ગુફાની મુલાકાત લઈ પર્વત ઉપર ટ્રેકિંગ કર્યું હતું. આમ મનો દિવ્યાંગ જય ઓરીયાએ આ યાત્રા કરીને અન્ય લોકોને પણ પ્રેરણા મળે તેવું કાર્ય કર્યું છે.

- text

- text