મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં યોગ દિવસની ઉજવણી કરાશે

- text


મોરબી : 21 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થનાર છે ત્યારે ઈન્ડિયન લાયન્સ ક્લબ, ઓમશાંતિ વિદ્યાલય તથા યોગ આરાધના ઈન્સ્ટિટ્યૂટ- મોરબીના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે.

21 જૂનના રોજ સવારે 7-30 થી 8 વાગ્યા સુધી મોરબીના સરદારબાગ સામે આવેલી ઓમશાંતિ વિદ્યાલયમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. જેમાં ઓમશાંતિ વિદ્યાલયના વિદ્યાર્થીઓ, ઈન્ડિયન લાયન્સ ક્લબના સભ્યો અને યોગ આરાધના ઈન્સ્ટિટ્યૂટના સભ્યો ઉપસ્થિત રહેશે. ઈન્ડિયન લાયન્સ ક્લબ તથા યોગ આરાધના ઈન્સ્ટિટ્યૂટના ટીચરો દ્વારા યોગ કરાવવામાં આવશે. તો આ કાર્યક્રમમાં હાજર રહેવા મોરબીની જાહેર જનતાને ઈન્ડિયન લાયન્સ ક્લબના સેક્રેટરી ઈ.લા. કેતનભાઈ મહેતા અને પ્રમુખ ઈ.લા. રૂચિર કારીઆ દ્વારા જાહેર આમંત્રણ પાઠવાયું છે. કાર્યક્રમમાં આવનારે યોગ નેટ/પાથરણું લઈને આવવા જણાવાયું છે.

- text

- text