- text
પાણીના પ્રશ્નોનું નિરાકરણ લાવવા લોકોને આશ્વાસન આપ્યું
મોરબી : ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે. ત્યારે આજ રોજ મોરબી-માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ માલવણ હાઈવે કેનાલની રૂબરૂ મુલાકાત લીધી હતી.
સવારે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા માલવણ હાઈવે કેનાલ ખાતે પહોંચ્યા હતા અને રૂબરૂ મુલાકાત કરીને તપાસ કરી હતી. આ તકે મોરબી અને માળિયા તાલુકામાં પાણીના પ્રશ્નો બાબતે લોકોએ પણ ધારાસભ્યને મૌખિક રજૂઆત કરતાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ લોકોને પાણીના પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે આશ્વસ્ત કર્યા હતા.
- text
- text