સરદારધામ દ્વારા GPBS-2025ના પ્રમુખ તરીકે મોરબીના ગોવિંદભાઈ વરમોરાની નિયુક્તિ

- text


મોરબી : સરદારધામ આયોજિત ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ (GPBS-2025) હેલીપેડ એક્ઝિબિશન ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે યોજાવાની છે. ત્યારે આ દરમ્યાન સરદારધામ પ્રમુખ સેવક ગગજી સુતરિયા અને સરદારધામ ટીમ એવમ ટ્રસ્ટીગણ દ્વારા અમદાવાદ સરદારધામ સ્થાપક ટ્રસ્ટી, ઉપપ્રમુખ એવમ સરદારધામ ફેઝ-2 ઉદ્દઘાટક અને મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ-ભામાશા ગોવિંદભાઈ જી. વરમોરાની (GPBS-2025)ના પ્રમુખ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.

- text

જેમાં મિશન 2026 અંતર્ગત સરદારધામના માધ્યમથી સમાજના ઉજ્જવળ ભવિષ્ય માટે યુવા શક્તિના સર્વાંગી વિકાસ માટેના અભિયાનમાં સૌ સાથે મળી, ઉમંગ, ઉત્સાહ અને ઉર્જા સાથે સમાજની વિસ્તૃત, નિઃસ્વાર્થ, પવિત્ર સેવા કરવા કટીબદ્ધ અને સંકલ્પબદ્ધ રહીશું. તેમજ સૌના સાહિયારા પ્રયાસોથી GPBS-2025ને નવી ઊંચાઈએ લઈ જવા માટે પ્રયત્નો કરીશું. તેમ સરદારધામની યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

- text