સૈન્યમાં જોડાવા માંગતા યુવાનો માટે મોરબીમાં નિવાસી તાલીમ કેમ્પ યોજાશે

- text


તાલીમમાં જોડાવા ઇચ્છુક ઉમેદવારે 27 જૂન સુધીમાં રોજગાર વિનિમય કચેરી મોરબીનો સંપર્ક કરવો

મોરબી : આર્મી, એરફોર્સ, નેવી, અર્ધ લશ્કરી દળ, પેરા મિલીટીરી ફોર્સ તથા પોલીસ ફોર્સ જોડાવા માંગતા પુરુષ ઉમેદવારો માટે 30 દિવસીય નિવાસી તાલીમ વર્ગ યોજાશે. જેમાં જોડાવા માટે ઉમેદવારોએ તા.27-6-2024 સુધીમાં 10:30 થી 06:00 દરમ્યાન રોજગાર વિનિમય કચેરી મોરબીનો સ્વખર્ચે સંપર્ક કરવાનો રહેશે.

રોજગારી વિનિમય કચેરી મોરબીની યાદીમાં જણાવ્યું છે કે, ભારતીય સૈન્યમાં જોડાવા માંગતા ઉમેદવારો માટે તા. 11-7-2024 થી 20-7-2024 દરમિયાન સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ભાવનગર ખાતે ભરતી રેલી યોજાશે. જેમાં ગુજરાતના યુવાનો આર્મી, એરફોર્સ, નેવી, અર્ધ લશ્કરી દળ, પેરા મિલીટરી, અને પોલીસમાં વધુને વધુ ઉમેદવારો જોડાય તે માટે ઉમેદવારોને ભરતી પૂર્વે શારીરિક ક્ષમતા માટેની નિવાસી તાલીમ ( રહેવા જમવાની સગવડતા સાથે) દિવસ 30 માટેના ફક્ત પુરુષ ઉમેદવારો માટે તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવશે.

- text

જેમાં ઉંમર 17 થી 21 વર્ષ, અભ્યાસ. 10 પાસ કે તેથી વધુ હોય. તથા ધો. 10માં ઓછામાં ઓછા 50 % ફરજીયાત અને દરેક વિષયમાં 33% માર્કસ ફરજીયાત, ધો.12 પાસ, ઉંચાઇ 168 સે.મી. કે તેથી વધુ, વજન-50 કિ.ગ્રા. કે તેથી વધુ, છાતી 77 સે.સી. (ફુલાવ્યા વગર) અને 82 સે.મી (ફુલાવીને) તેમજ તબીબી રીતે ફીટ ઉમેદવારોએ પોતાના તમામ પ્રમાણપત્રો સાથે તા.27-6-2024 સુધીમાં (રજા સિવાયના દિવસો દરમિયાન) 10:30 થી 06:00 સુધીમાં રોજગાર વિનિમય કચેરી મોરબીનો સ્વખર્ચે સંપર્ક કરવાનો રહેશે. અગાઉ આ કચેરી દ્વારા આયોજીત નિવાસી તાલીમમાં ભાગ લીધેલો હોય તેવા ઉમેદવાર પ્રવેશપાત્ર રહેશે નહી.વધુ માહિતી માટે કચેરીના હેલ્પલાઈન નંબર 02822 – 240419 પર સંપર્ક કરવા એમ.એન. સવનીયાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- text