- text
ચારધામ યાત્રા માટે યાત્રાળુઓએ ફરજીયાત નોંધણી કરાવવાની રહેશે
મોરબી : ઉત્તરાખંડ સરકાર દ્વારા ચારધામ યાત્રા 2024 માટે શ્રદ્ધાળુઓ માટે એક એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. આ ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડ ગાંધીનગર દ્વારા શ્રદ્ધાળુઓ એક અખબારી યાદી જાહેર કરાઈ છે. જેમાં ચારધામ યાત્રા માટે ફરજીયાત નોંધણી સિસ્ટમ લાગુ કરવામાં આવી છે.
આ એડવાઈઝરી જણાવવામાં આવ્યું છે કે, (1)જે યાત્રાળુઓએ ચારધામ યાત્રા માટે નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરી નથી તેઓને ચારધામની મુલાકાત ન લેવાની સલાહ આપવામાં આવી છે. તેમને નિયુક્ત ચેક પોસ્ટ પર રોકવામાં આવશે અને નિયત નોંધણી વગર આગળ વધવાની મંજૂરી આપવામાં આવશે નહીં. (2) જે યાત્રાળુઓએ જે ચોક્ક્સ તારીખ માત્ર નોંધણી કરવી છે તેનું પાલન કરવુ હિતાવહ છે. જેથી મુલાકાતીઓના પ્રવાહનું સંચાલન કરવામાં અને ચારધામોમાં વ્યવસ્થા જાળવવામાં મદદ કરશે. બધા માટે સરળ અનુભવ સુનિશ્ચિત કરાશે. (3) તમામ ટુર ઑપરેટર્સ અને ટ્રાવેલ એજન્ટોએ ખાતરી કરવી કે તેમના કલાઇન્ટ્સે યાત્રા શરૂ કરતાં પહેલાં જરૂરી રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરી છે. જેથી યાત્રા દરમ્યાન કોઈપણ પ્રકારની અસુવિધા અથવા વિક્ષેપ ન પડે.
- text
ઉત્તરાખંડ સરકારના આ પગલાંનો મુખ્ય હેતુ તીર્થયાત્રાની પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવાનો અને શ્રદ્ધાળુઓની સલામતી અને સુવિધા સુનિશ્ચિત કરવાનો છે.
- text