Morbi : યુવાને જલારામ મંદિરે ચાલતા સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી જન્મદિવસ ઉજવ્યો

- text


યુવા પત્રકાર પકંજ સનારીયા દ્વારા જન્મદિવસની સાર્થક ઉજવણી કરાઇ

મોરબી : વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા જલારામ પ્રાર્થના મંદિર- મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવા યજ્ઞ ચલાવવામાં આવે છે. ત્યારે મોરબીના પત્રકાર પંકજભાઈ સનારીયાએ તેમના જન્મદિનની ઉજવણી સદાવ્રતમાં મહાપ્રસાદ યોજીને કરી હતી. આ તકે મોરબીના વરિષ્ઠ પત્રકાર સુરેશભાઈ ગોસ્વામી, રાજેશભાઈ આંબલીયા, પંકજભાઈ સનારીયા, મિલનભાઈ નાનક, મેહુલભાઈ ગઢવી, જયેશભાઈ બોખાણી, અંકીતભાઈ પટેલ, ધવલ ત્રિવેદી સહીતનાઓએ ઉપસ્થિત રહી પોતાના વરદ્ હસ્તે પ્રસાદનું વિતરણ કર્યું હતું.

- text

પ્રવર્તમાન સમયે લોકો પોતાના જન્મદિનની ઉજવણી વૈભવી રીતે કરતા હોય છે ત્યારે મોરબીના પત્રકાર પંકજભાઈ મનસુખભાઈ સનારીયાએ સેવા કાર્યમાં સહયોગ આપી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સમાજને નવો રાહ ચિંધ્યો છે. તેમની આ પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ પ્રાર્થના મંદિરના ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ચિરાગ રાચ્છ, હરીશભાઈ રાજા, કીશોરભાઈ ઘેલાણી, અનિલભાઈ સોમૈયા, જયંતભાઈ રાઘુરા, પારસભાઈ ચગ, નીરવભાઈ હાલાણી, અનિલભાઈ ગોવાણી, વિપુલભાઈ પંડિત, હિતેશભાઈ જાની, સંજયભાઈ હીરાણી, મનિષભાઈ પટેલ, પપ્પુભાઈ ચંડીભમર, દીનેશભાઈ સોલંકી સહીતના અગ્રણીઓએ અભિનંદન સહ જન્મદિનની શુભકામના પાઠવી હતી.

- text