રાજકોટ અગ્નિકાંડના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા મોરબીમાં રક્તદાન કેમ્પ યોજાયો

- text


મોરબી : આજે વિશ્વ બ્લડ ડોનેશન દિવસ નિમિત્તે રાજકોટ અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા આત્માઓને શ્રદ્ધાંજલિ આપવા માટે મોરબીમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબીની Sezon Papers Pvt Ltd અને Brownflod Papers LLP દ્વારા આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું. આ રક્તદાન કેમ્પમાં માલિકો અને કર્મચારીઓએ પોતાનું રક્ત આપીને અગ્નિકાંડના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી માનવતાની મહેક પ્રસરાવી હતી અને વિશ્વ બ્લડ ડોનેશન દિવસની સાર્થક ઉજવણી કરી હતી. આ રક્તદાન કેમ્પમાં શ્રી બ્લડ બેંકનો સાથ-સહકાર મળ્યો હતો

- text