મધ્ય પ્રદેશના ખંડવામાં રોડ અકસ્માતમાં મોરબીના સોની વેપારી યુવકનું મોત

- text


કાર ડિવાઈડર સાથે અથડાતા કરુણ દુર્ઘટના સર્જાઈ

મોરબી : ગત તારીખ 11 જૂન ને મંગળવારના રોજ મધ્ય પ્રદેશના ખંડવામાં થયેલા કાર અકસ્માતમાં મોરબીના સોની વેપારી યુવકનું મોત નિપજ્યું છે. જ્યારે અન્ય બે યુવકો ઈજાગ્રસ્ત થયા છે.

મળતી માહિતી પ્રમાણે મોરબીના નહેરુગેઈટ ચોક ખાતે શ્રીજી જ્વેલર્સ નામની દુકાન ધરાવનાર સોની વેપારી રવિનભાઈ મહેન્દ્રભાઈ રાણપરા અને અન્ય બે વેપારી મિત્રો કામ અર્થે કાર લઈને મધ્ય પ્રદેશ ગયા હતા. તેઓ બરહાનપુરથી ખંડવા તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન ખંડવા જિલ્લાના રુસ્તમપુર ગામ પાસે કાર ડિવાઈડર સાથે ટકરાઈ હતી. આ અકસ્માતમાં મોરબીના સોની વેપારી યુવક રવિનભાઈ મહેન્દ્રભાઈ રાણપરાનું મોત નિપજ્યું છે. જ્યારે તેમની સાથે રહેલા કેવલ નરેન્દ્રભાઈ અને મૌલિક અશોકભાઈ નામના વેપારી યુવકને ઈજા પહોંચતા તેઓને ખંડવા જિલ્લા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

- text

મૃતક સોની વેપારી યુવક રવિનભાઈ રાણપરાની આજે તારીખ 13 જૂનના રોજ સવારે સ્મશાનયાત્રા નીકળી હતી. સોની વેપારી યુવકના મોતથી પરિવારજનો અને સોની વેપારીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતક યુવક રવિનભાઈ રાણપરા બે ભાઈમાં નાના હતા. તેઓને સંતાનમાં એક દીકરો અને એક દીકરી હતા.

- text