મોરબીમાં 16 જૂને નિ:શુલ્ક ફિઝિયોથેરાપી નિદાન-સારવાર કેમ્પ યોજાશે

- text


કેમ્પનો લાભ લેવા માટે રજીસ્ટ્રેશન ફરજિયાત

મોરબી : મોરબીમાં રાહત દરે કાર્યરત સંસ્કાર ફિઝીયોકેર સેન્ટર દ્વારા આગામી તારીખ 16ને રવિવારના રોજ સવારે 9:30 થી 12 કલાક દરમ્યાન રામધન આશ્રમ સામાકાંઠે, મોરબી ખાતે નિ:શુલ્ક ફિઝિયોથેરાપી નિદાન તથા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પમાં ફિઝીયોથેરાપી સેન્ટરના હેડ ડો.કેશા અગ્રવાલ (મગજ અને મણકાની તકલીફનાં નિષ્ણાત) માસ્ટર ઓફ ફિઝીયોથેરાપી MPT (Neuro.),BPT, MIAP) તથા તેમની ફીઝીયોથેરાપી ટીમ સેવા આપશે. કેમ્પમાં દર્દીઓને (1)હાથ-પગ તથા મોઢાના લકવા-પેરાલીસીસ, પેરાપ્લેજીયા, કમ્પવા(પાર્કિંસન્સ), (2) સેરેબ્રલ પાલ્સી, જન્મજાત ખોડખાંપણ, ત્રાંસીડોક, ઓટીઝમ, હાયપરએક્ટીવીટી વગેરે, (3) સ્નાયુ તથા મગજ અને ચેતાતંત્રનાં રોગો , બેલેન્સ પ્રોબ્લમ, જીબીએસ ₹4) સાયટીકા/ ગાદી ખસવી/ સાંધાના વા/ ઘુંટણનો ઘસારો. (5) કમર/ ગરદન / ખભા/ એડીનો દુ:ખાવો, ટેનિસ એલ્બો (6) ફ્રેકચર તથા સાંધા બદલાવ્યા પછીની સારવાર, લીગમેંટની ઇજાઓ (7) ડિલીવરી પહેલાં/પછીની કસરતો, મોટી ઉંમરે થતી શારીરિક તકલીફો (8) બોલવાને લગતી તકલીફો તોતડું બોલવું, બાળકનું બોલી ન શકવું, બોલવામાં અચકાવું, ઓપરેશન પછી બોલવાની તકલીફ, જાડો-પાતળો કે ઘોઘરો અવાજ, પક્ષઘાતના હુમલા પછી બોલવાની તકલીફ, ખોરાક ગળવામાં તકલીફ ધરાવતા વ્યક્તિઓ
તથા તમાકુ/કેંસરનાં ઓપરેશન પછી જકડાયેલ જડબાની સારવાર કરવામાં આવશે.

- text

આ કેમ્પનો લાભ લેવા માટે આવનાર દર્દીએ મો. 81602 82456 નંબર પર ફરજીયાત રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. તેમજ દર્દીના જુના ફાઇલ, એક્સરે કે રિપોર્ટ હોય તો સાથે લઈ આવવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- text