સ્વજનની પુણ્યતિથિએ મોરબીના કાલરીયા પરિવાર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

- text


મોરબી : મોરબીના કાલરીયા પરિવાર દ્વારા આજ રોજ જીતેન્દ્રભાઈ માવજીભાઈ કાલરીયાની 7મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

મોરબીના નરસંગ મંદિર ખાતે આજ રોજ 13 જૂન ને ગુરુવારના રોજ સ્વર્ગસ્થ જીતેન્દ્રભાઈ કાલરીયાની 7મી પુણ્યતિથિ નિમિત્તે જરૂરિયાતમંદ દર્દીઓને લોહી મળી રહે તેવા ઉમદા હેતુ સાથે કાલરીયા પરિવાર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં રક્તદાતાઓ તરફથી સારો સહકાર મળતા 125 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. બ્લડ ડોનેશન કેમ્પમાં મોરબીની સંસ્કાર બ્લડ સેન્ટરનો સહયોગ પ્રાપ્ત થયો હતો. બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા બદલ ગં.સ્વ. શારદાબેન જીતેન્દ્રભાઈ કાલરીયા, નિરવ જીતેન્દ્રભાઈ કાલરીયા, ભૂમિબેન નિરવભાઈ કાલરીયા, બ્રિજ જીતેન્દ્રભાઈ કાલરીયા અને ધરતીબેન બ્રિજભાઈ કાલરીયા સહિતના પરિવારજનોએ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

- text

- text