- text
આજે સવારમાં જ ભવાનીનગર ઢોરા વિસ્તારમાં પતિએ પત્નીને ત્રણ છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી
હળવદ : આજે વહેલી સવારે હળવદ શહેરના ભવાનીનગર ઢોરા વિસ્તારમાં પતિએ પત્નીને છરીના ઘા જીકી હત્યા નીપજાવ્યા બાદ પતિએ પણ ઝેરી દવા પી લઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
હળવદ શહેરના ભવાનીનગર ઢોરા વિસ્તારમાં રહેતા મનિષાબેનના ઘરે તેઓની નાની બહેન મદીનાબેન મોરબી થી ગઈકાલે સોમવારે આવ્યા હતા. અને ત્યાર બાદ મોડી સાંજે મદીનાબેન ના પતિ યુનુસભાઈ પણ ભવની નગર વિસ્તારમાં આવ્યા હોય અને કોઈ સામાન્ય બાબતે બોલાચાલી થયા બાદ આજે વહેલી સવારે મદીનાબેનના પતિ યુનિસભાઇએ મદીનાબેનને છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવી ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
- text
જોકે હત્યા નીપજાવ્યા બાદ યુનુસભાઈ એ પણ ઝેરી દવા પી લઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.હાલ પોલીસ દ્વારા બંને મૃતકોની લાશને પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવી આગળની તપાસ હાથ ધરી છે.
- text