મોરબીના ઉદ્યોગપતિએ રાષ્ટ્રપતિ ભવન ખાતે શપથગ્રહણ સમારોહમાં આપી હાજરી

- text


અમિતભાઈ પટેલે ગૃહમંત્રી અમિત શાહના નિવાસ સ્થાને લીધું ભોજન

મોરબી : ગત તારીખ 9 જૂનના રોજ દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવનમાં નરેન્દ્ર મોદી સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. આ શપથગ્રહણ સમારોહમાં દેશભરમાંથી 4 હજાર જેટલા મહેમાનોને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. જેમાં મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ અમિતભાઈ પટેલને પણ આમંત્રણ મળતાં તેઓ શપથગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.

મોરબીની જી.સી. ગ્રાનિટો કંપનીના અમિતભાઈ મૂળજીભાઈ પટેલને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ તરફથી શપથગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહેવાનું આમંત્રણ મળ્યું હતું. જેથી અમિતભાઈ પટેલ 9 જૂનના રોજ દિલ્હી રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય મંત્રીઓના શપથગ્રહણ સમારોહના સાક્ષી બન્યા હતા. આ પ્રસંગે અમિતભાઈ પટેલે ગૃહમંત્રી અમિત શાહના નિવાસ સ્થાને ભોજન પણ લીધું હતું.

- text

- text