મોરબીમાં 13મીએ સાંસદ વિનોદ ચાવડાનો અભિવાદન સમારોહ

- text


 

મોરબી : લોકસભા ચૂંટણી – 2024માં કચ્છ – મોરબી લોકસભા બેઠક પરથી જંગી બહુમતી મેળવી વિજયની હેટ્રિક કરનાર વિનોદભાઈ ચાવડાનો આભાર દર્શન – અભિવાદન સમારોહ તારીખ 13-6-2024ને ગુરુવારના રોજ સવારે 9:30 કલાકે સ્કાય મોલ, સનાળા રોડ, મોરબી ખાતે યોજાશે.

કચ્છ – મોરબી લોકસભાની 7 બેઠકો પૈકી સૌથી વધારે લીડ 65 મોરબી- માળીયા વિધાનસભાએ આપી છે. ત્યારે આ પ્રચંડ જનદેશ મતદાતાઓના આભાર દર્શન માટે તેમજ વિજય બાદ પ્રથમ વખત પધારતા સાંસદ વિનોદભાઈ ચાવડાના અભિવાદન માટે આ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ સમારોહમાં પધારવા મોરબી શહેર ભાજપ લાખાભાઈ જારીયા, રિશીપભાઈ કૈલા, ભાવેશભાઈ કંજારીયા, મોરબી તાલુકા ભાજપ અરવિંદભાઈ વાંસદડીયા, બચુભા રાણા, બચુભાઇ ગરચર, માળીયા તાલુકા ભાજપ મણીલાલ સરડવા, મનીષભાઈ કાંજીયા, અરજણભાઈ હુંબલ, માળીયા શહેર ભાજપ અલ્યાસભાઈ મોવર, હનીફભાઈ જેડા, આવેશભાઈ મોવર વગેરે દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text