મોરબીના પછાત વિસ્તારોમાં પાણી પ્રશ્ન દૂર કરવા કોંગ્રેસની રજુઆત

- text


વિસીપરા, કુલીનગર સહિતના વિસ્તારોમાં લોકોની મુશ્કેલી અંગે ચીફ ઓફિસરને રાવ

મોરબી : મોરબીના વીસીપરા વિસ્તારમાં પીવાના પાણીની સાથે પ્રાથમિક સુવિધા પુરી પાડવા અંગે શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા નગરપાલિકા ચિફ ઓફિસર સમક્ષ રજૂઆત કરી પાણીનો પ્રશ્ન હલ કરવા માંગ કરવામાં આવી હતી.

ઉનાળાના દિવસોમાં મોરબીમાં પાણી સમસ્યા વકરી છે અને ખાસ કરીને વિસીપરા વિસ્તારમાં મદીના સોસાયટી, કુલીનગર -2, શી ફાર્મ સરકારી વાડી, ભીમરાવનગર, વિસીનગર, ફૂલછાબ સોસાયટી, મીલની ચાલી સહિતના પછાત વિસ્તારોમાં છેલ્લા 15 દિવસથી પાણી આપવામાં આવતું ન હોવાથી લોકો પાણીથી વંચિત રહેતા કોંગ્રેસ પ્રમુખ દ્વારા ચીફ ઓફિસરને તાકીદે પાણી પ્રશ્ન ઉકેલવા માંગ કરી પાઈપલાઇનમાં અલગ-અલગ જગ્યાએ વાલ્વ મૂકી પાણીનું વિતરણ કરવામાં આવે અને પાણીનું પ્રેસર વધારવામાં આવે તેવી માંગ ઉઠાવી હતી.

- text

- text