મોરબીના સાદુળકા નજીક કારખાનામાં આગ ઓલવવા જતા દાઝેલા શ્રમિકનું મૃત્યુ

- text


મોરબી : મોરબી તાલુકાના જુના સાદુળકા ગામ નજીક આવેલ સર્વોત્તમ ડેકોર પ્રાઇવેટ લિમિટેડ નામની ફેકટરીમાં લાકડાની શીટના ભૂંસામા આગ લાગતા ગત તા.14 એપ્રિલના રોજ રાજસ્થાનના વતની અંબાલાલ મિશારામ મેઘવાલ ઉ.38 નામના શ્રમિક આગ બુઝાવા જતા દાઝી જતા સારવાર માટે અમદાવાદ દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text