મોરબીમાં હિન્દુ મંદિરોને નોટિસ આપવા મામલે રોષ, ઉચ્ચકક્ષાએ રજૂઆત કરાઈ

- text


1458 લોકોની સહી આવેદનપત્ર સાથે મોરબીના તમામ 45 હિન્દૂ મંદિરોને અકબંધ રાખવા માંગ

મોરબી : મોરબીમાં તાજેતરમાં નગરપાલીકા દ્વારા મોરબી શહેરની હદમાં આવેલ 45પૌરાણિક હિન્દુ મંદિરોને નોટીસ ફટકારવામાં આવ્યા બાદ હિન્દુવાદી સંગઠનોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે મોરબીના જાગૃત 1458 નાગરિકોની સહીઓ સાથેની રજુઆત ઉચ્ચકક્ષાએ કરી તમામ હિન્દૂ મંદિર અકબંધ રાખવા માંગ કરવાની સાથે તંત્રની હિન્દુ મંદિરો દૂર કરવાની કવાયત સનાતન હિન્દુ સમાજ માટે લાંછન રૂપ ગણાવવામાં આવી છે.

ઉચ્ચકક્ષાએ કરવામાં આવેલી રજુઆતમાં જણાવાયું છે કે, મોરબીમાં મંદિરો વર્ષોથી ત્યાં જ છે જેમાં હિન્દુ ધર્મના આરાધ્ય દેવી-દેવતાઓની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવેલ છે. અસંખ્ય હિન્દુઓની આસ્થા આ મંદિરો સાથે જોડાયેલ છે. તેમજ વિવિધ કુદરતી તેમજ માનવસર્જીત આફતો સમયે આ જ મંદિરો દ્વારા તંત્ર સાથે ખભે ખભો મીલાવી વિવિધ બચાવકાર્યો તેમજ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે. આ દરેક મંદિરો સાથે તમામ હિન્દુઓની આસ્થા જોડાયેલ છે. આ મંદિરો ભુતકાળ માં જ્યારે બન્યા ત્યારે જે તે સમયના અધિકારીઓએ કોઈ પગલાં લીધેલ નથી. મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગયેલ હોય, દેવી-દેવતાઓનો તેમાં વાસ હોય, લોકોની આસ્થા તેની સાથે જોડાયેલ હોય તે મંદિરોને અકબંધ રાખવા જણાવાયું છે.

- text

વધુમાં મોરબીમાં એક પણ મંદિર શહેરના કોઈપણ રહીશો માટે અવરોધરૂપ નથી તેમજ ટ્રાફિક માટે અડચણરૂપ નથી તેથી તે મંદિરોને યથાવત રાખી હિન્દુ સમાજની ધાર્મિક લાગણી ન દુઃભાય તે જોવા પણ વિનંતી કરી સવાલ ઊઠવાવમાં આવ્યા છે કે શું મોરબીમાં 45 મંદિરો જ ગેરકાયદેસર છે? બીજા કોઈ બાંધકામ મોરબીની હદ માં ગેરકાયદેસર છે જ નહીં ? મંદિરો ભુતકાળમાં જ્યારે બન્યા ત્યારે શા માટે સ્થાનિક તંત્રએ અટકાવ્યા નહિં? મંદિર ની પ્રાણપ્રતિષ્ઠા થઈ ચુકેલ હોય, હજારો હિન્દુઓની આસ્થા મુજબ સાક્ષાત દેવી-દેવતાઓ ત્યાં બિરાજમાન હોય, તેવા મંદિરો ને નોટીસ પાઠવી તંત્ર શા માટે હિન્દુ વિરોધી વલણ દર્શાવી રહ્યુ છે? તેમ જણાવી મોરબીમાં હિન્દુ દેવી-દેવતાઓના મંદિરોને અકબંધ રાખી હિન્દુ સમાજની આસ્થાને કર્તવ્યપરાયણતા સમજી યોગ્ય કરવા અંતમાં માંગ ઉઠાવી સમગ્ર મામલે ચીફ ઓફીસરથી લઈ વડાપ્રધાન સુધી રજુઆત કરવામાં આવી છે.

- text