NMMS પરીક્ષામાં મોરબીની વજેપરવાડી પ્રાથમિક શાળાનું ઉત્કૃષ્ટ પરિણામ

- text


22 વિદ્યાર્થીઓએ NMMSની પરીક્ષા પાસ કરી શાળાનું ગૌરવ વધાર્યું

મોરબી : NMMS મેરીટ સ્કોલરશીપ યોજના અંતર્ગત ધોરણ – 8 ના વિદ્યાર્થીઓને માટે મેરીટના ધોરણે સરકારી/ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં ધોરણ – 9માં પ્રવેશ મેળવી ધોરણ – 12 સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે એ માટે રાજ્યના તમામ જીલ્લાઓ NMMS પરીક્ષા -2024નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી જિલ્લાની શ્રી વજેપરવાડી પ્રાથમિક શાળાના ધોરણ 8ના કુલ -22 વિદ્યાર્થીઓ આ પરીક્ષા પાસ કરી શાળાનું ગૌરવ વધાર્યું છે.

આ પરીક્ષામાં કંઝારિયા નિશા અરજનભાઈએ 180માંથી 153 માર્કસ, ચાવડા નયન સુરેશભાઈ 146, ચાવડા મેહુલ બળદેવભાઈ 145, કંઝારિયા રીંકુ જયંતિલાલ 142, કંઝારિયા વૈશાલી ચકુભાઈ 135, નકુમ દક્ષા સુરેશભાઈ 121, કંઝારિયા ગૌતમ રાજેશભાઈ 117, નકુમ ભગીરથ નરેશભાઈ 117, ડાભી ડિમ્પલ કમલેશભાઈ 107, નકુમ કિશન દેવકણભાઈ 107, ડાભી તેજસ પ્રભુભાઈ 99, કંઝારિયા અવની પ્રેમજીભાઈ 97, નકુમ આરતી મુકેશભાઈ 89, નકુમ જયદીપ ગણેશભાઈ 88, ડાભી કૃપાલી જયંતીલાલ 83, ચાવડા જાગૃતિ અશ્વિનભાઈ 80, કંઝારિયા નિલેશ દયારામભાઈ 79, નકુમ વિપુલ મલાભાઈ 79, નકુમ કરન રસિકભાઈ 79, ડાભી સેજલ ભવાનભાઈ 78, કંઝારિયા સાગર મુળજીભાઈ 77, પરમાર તેજસ પોપટભાઈ 62 માર્કસ મેળવ્યા છે.

- text

આ મેરિટમા સ્થાન મેળવેલ તમામ વિદ્યાર્થીઓને ધોરણ – 9થી 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરે ત્યાં સુધીમાં કુલ રૂપિયા 48000 જેટલી શિષ્યવૃતિ દરેક વિદ્યાર્થીઓ
ને કેન્દ્ર સરકાર તરફથી મળવા પાત્ર છે.

મોરબી તાલુકામાં શહેરી વિસ્તારોમાં આવેલી સરકારી શાળા ઓમાંથી આ શાળાના સૌથી વધુ વિદ્યાર્થીઓએ આ સિધ્ધિ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે. તેમની આ સિદ્ધિને બિરદાવતા શાળાના આચાર્ય સવસાણી કિશોરભાઈએ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકગણને અભિનંદન પાઠવ્યા હતા. તેમજ સી.આર.સી. દેલવાડિયા બાબુલાલએ સમગ્ર શાળા પરિવાર અને વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતા.

- text