- text
મોરબી : રાજકોટ શહેરમાં બનેલી ગેમ ઝોન આગ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના આત્માની શાંતિ માટે આર્ટ ઓફ લિવિંગ મોરબી પરિવાર દ્વારા સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 2 જૂન ને રવિવારના રોજ દિવંગત આત્માનું મંગલ અને કલ્યાણ થાય તે માટે શ્રદ્ધાંજલિ રૂપે ભજન, મંત્રોચ્ચાર, ધ્યાન અને સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આર્ટ ઓફ લિવિંગ મોરબી પરિવારના લોકોએ ઉપસ્થિત રહીને દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
- text
- text