- text
મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં એલઇ કોલેજ પાસે નવા બની રહેલા સ્વામીનારાયણ મંદિરની બાંધકામ સાઇટ ઉપર મજૂરીકામ કરવા ગયેલા સગીરનું વીજશોક લાગતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું હતું.
- text
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના સામાકાંઠે મચ્છુ નદીના કાંઠે નવા બની રહેલા સ્વામિનારાયણ મંદિરની બાંધકામ સાઇટ ઉપર મજૂરીકામ કરવા ગયેલા સલમાનભાઈ રસુલભાઈ મોવર ઉ.17 રહે. વિશિપરા, ઇમામ ચોક, મોરબી નામના સગીરનું વીજશોક લાગતા ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
- text