પંચશીલ ફાઉન્ડેશન અને રમાબાઈ આંબેડકર સમૂહ લગ્ન સમિતિ દ્વારા યોજાયો સમૂહ લગ્નોત્સવ

- text


મોરબી : આજ રોજ તારીખ 2 જૂન ને રવિવારે મોરબીમાં પંચશીલ ફાઉન્ડેશન દ્વારા માતા રમાબાઈ આંબેડકર સમૂહ લગ્ન સમિતિ આયોજિત ચોથા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 11 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા.

- text

મોરબીના ભડીયાદ રોડ પર આવેલા પરશુરામ પોટરી મેદાન ખાતે આજે ચોથો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. આયોજકએ જણાવ્યું હતું કે, માતા રમાબાઈ આંબેડકર સમૂહ લગ્ન સમિતિ દ્વારા આ ચોથો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. અત્યાર સુધીમાં 48 જરુરિયાતમંદ દીકરીઓના લગ્ન કરાવી આપવામાં આવ્યા છે. સૌના સાથ-સહકારથી આ કાર્ય કરવામાં આવી રહ્યું છે. સમૂહ લગ્નોત્સવ પ્રસંગે પંચશીલ ફાઉન્ડેશન દ્વારા સંસ્કાર બ્લડ બેંકના સહયોગથી સમૂહ લગ્નોત્સવ સ્થળે જ બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોએ રકતદાન કર્યું હતું. સમૂહ લગ્નોત્સવમાં જોડાનાર દીકરીઓને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ કરિયાવર રૂપે મુખ્ય દાતા દેવ જીવણભાઈ કુંભરવાડિયા સહિતના દાતાઓએ ભેટમાં આપવામાં આવી હતી.

- text