મોરબીના વોર્ડ નં-4માં અગ્નિકાંડના મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ

- text


મોરબી : રાજકોટમાં બનેલી ગોઝારી અગ્નિકાંડની ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગત આત્માઓને શાંતિ મળે તે માટે આજે મોરબીના વોર્ડ નંબર-4 સો-ઓરડી વિસ્તારમાં શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

- text

મોરબીના સો-ઓરડી વિસ્તારમાં વોર્ડ નંબર-4મા યોજાયેલા આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં દરેક જ્ઞાતિના આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં જ્યોતિસિંહ જાડેજા, વોર્ડ નંબર-4ના પૂર્વ કાઉન્સિલરો મનસુખભાઈ બરાસરા, ગિરીરાજસિંહ ઝાલા, જશવંતીબેન શિરોહીયા, મનીષાબેન સોલંકી, સુરેશભાઈ શિરોહીયા, રમેશભાઈ ભરવાડ, હર્ષદભાઈ વામજા, ગોકળભાઈ ભોરણીયા, રાધવજીભાઈ વાધાણી, કાન્તીભાઈ કણસાગરા, હરીભાઈ રાતડીયા, સાહુલભાઈ અંદોદરીયા, ગીરધરભાઈ પટેલ, ભીખાભાઈ સોલંકી, દામજીભાઈ બોપલીયા, રમણીકભાઈ બરાસરા, રવિભાઈ જોશી સહિતનાઓએ ઉપસ્થિત રહીને મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

- text