Morbi : માનવ સેવા સંઘે પ્રજ્ઞાચક્ષુ દંપતીને આપ્યો આશરો

- text


મોરબી : માનવ સેવા સંઘના અધ્યક્ષ વકીલ જ્યોતિબેન પટેલ અને રાજદીપભાઈના પ્રયત્નોથી મોરબીમાં રખડતું જીવન જીવી રહેલા પ્રજ્ઞાચક્ષુ દંપતી અને તેમના બાળકોને આશરો આપવામાં આવ્યો છે.

- text

માનવ સેવા સંઘના રાષ્ટ્રીય મહાસચિવ નરસિંહભાઈ ચાવડાની આગેવાનીમાં કાર્ય કરતી આ સંસ્થાના મોરબી જિલ્લાના પદાધિકારી વકીલ જ્યોતિબેન પટેલ અને રાજદીપભાઈને માહિતી મળી હતી કે મોરબીના નવયુગ કાપડના શો-રૂમ પાસે એક પ્રજ્ઞાચક્ષુ દંપતી મનસુખભાઈ અને પાર્વતીબેન તેમના બાળકો રાજવીર અને રાહુલ સાથે રખડતું-ભટકતું જીવન જીવે છે. તેથી જ્યોતિબેન પટેલ અને રાજદીપભાઈએ આ દંપતી પાસે પહોંચી તેમની પરિસ્થિતિ જોઈને સતત ચાર દિવસ સમજાવ્યા હતા અને અંતે તેઓને આજે સુરેન્દ્રનગરના શિવાલય હોમ સેન્ટરમાં મોકલી દઈ આશ્રય આપવામાં આવ્યો છે.

- text