મોરબીમાં આજથી પંચમુખી હનુમાનજી મંદિરે રાહત દરે ફૂલ સ્કેપ ચોપડાનું વિતરણ

- text


મોરબી : મોરબીના પંચમુખી હનુમાનજી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે તારીખ 1 જૂનથી મોરબીના પંચમુખી હનુમાનજી મંદિરે વિદ્યાર્થીઓ માટે રાહત દરે ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે.

- text

મોરબીના વેજીટેબલ રોડ પર ઉમા સ્કૂલની સામે આવેલા પંચમુખી હનુમાનજી મંદિરે આજે તારીખ 1 જૂન ને શનિવારના રોજથી વિદ્યાર્થીઓને રાહત દરે ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દરેક સ્કૂલના પાઠ્ય પુસ્તક, સ્વાધ્યાય પોથી, વિવિધ કંપનીની ફોર લાઈન, ચેક્સ લાઈન, સીંગલ લાઈન, ટુ લાઈન નોટબુક, પુઠાના સેલ, કંપાસ, સ્કૂલ બેગ, વોટરબેગ, પેડ, પાઉચ, સ્લેટ સહિતની વસ્તુઓ રાહત દરે આપવામાં આવશે. વહેલા તે પહેલાના ધોરણે આ વિતરણ કરવાનું હોય સૌને લાભ લેવા જણાવાયું છે.

- text