મોરબીના વોર્ડ નં.4માં ભૂગર્ભ ગટરના કામ માટે રીક્ષા અને 4 માણસો ફાળવવાની માંગ

- text


પૂર્વ કાઉન્સિલર સહિતના આગેવાનોની પાલિકાના વહીવટદારને રજુઆત

મોરબી : મોરબીમાં વોર્ડ નં 4માં ભૂગર્ભ ગટર છલકાતી હોવાની સમસ્યાથી લોકોમાં થતી પરેશાનીનો લઇને આ વિસ્તારના આગેવાનો અને પૂર્વ કાઉન્સિલરો દ્વારા મોરબી નગરપાલીકાના વહીવટદારને લેખિતમાં રજુઆત કરવામાં આવી છે.

વોર્ડ નં 4માં ઘણા સમયથી ભૂગર્ભ ગટર ઉભરાવા તથા છલકવાની ગંભીર પરિસ્થિતિ છે. વારંવાર ફરિયાદ કરવા છતાં કામ થતું નથી. ત્યારે હાલ ચોમાસું નજીક આવી રહ્યું છે. અને પ્રિ મોનસૂનની કામગીરી હેઠળ બધી મોટી કુંડીઓ સાફ કરવાની ખાસ જરૂર હોવાથી વોર્ડ નં 4માં કાયમી ધોરણે ચાર માણસો અને એક રીક્ષા ફાળવવા માંગણી કરવામાં આવી છે.

- text

આ રજુઆત દરમ્યાન વોર્ડના પૂર્વ કાઉન્સિલર મનસુખભાઇ બરાસરા, શિરોહીયા જશવંતીબેન સુરેશભાઈ, સોલંકી મનીષાબેન ગૌતમભાઈ, ઝાલા ગીરીરાજસિંહ સુખુભા વગેરે ઉપસ્થિતિ રહ્યા હતા.

- text