મોરબીના યુવા ઉદ્યોગપતિએ વૃક્ષારોપણ કરી જન્મદિવસ ઉજવ્યો

- text


મોરબી : મોરબીના યુવા ઉદ્યોગપતિ કિર્તીભાઈ અઘારાનો આજે 31 મેના રોજ જન્મદિવસ હોય તેમણે પોતાનો આ જન્મદિવસ પર્યાવરણ પ્રત્યે સમર્પિત કર્યો છે. કિર્તીભાઈ અઘારાએ પોતાના 39મા જન્મદિવસ નિમિત્તે 39 વૃક્ષો વાવીને જન્મદિવસની સાર્થક ઉજવણી કરી છે. સાથે જ કિર્તીભાઈએ આ તમામ વૃક્ષોને સારસંભાળ રાખીને વટવૃક્ષ બને ત્યાં સુધીની જવાબદારી લેશે તેમ જણાવ્યું હતું. આમ પર્યાવરણની જાળવણીમાં મદદરૂપ બનવાના ઉદ્દેશ સાથે જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી.

- text