મોરબીના લગધીરનગર નજીક નદીમાં ડૂબી જતાં તરુણનું મૃત્યુ

- text


મોરબી : મોરબી શહેર – જિલ્લામાં નદી – તળાવમા ન્હાવા જતા ડૂબી જવાની ઉપરા છાપરી ઘટનાઓ બની રહી છે છતાં વાલીઓ કે યુવાનો ગંભીર નથી બની રહ્યા ત્યારે ગઈકાલે મોરબી તાલુકાના લગધીરનગર ગામની સીમમાં જોગ ડુંગરી નદીમા ન્હાવા જતા ડૂબી જવાથી એક તરુણનું મૃત્યુ નીપજ્યું હતું.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના લગધીરનગર ગામની સીમમાં આવેલ જોગણી ડુંગરી માતાજીના મંદિર પાસે જોગ ડુંગરી નદીમાં ન્હાવા જતા મકનસર ગામના રહેવાસી દેવાભાઈ નરેન્દ્રભાઈ અજાણા ઉ.16 નામના તરુણનું નદીમાં ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text