- text
મોરબી : રાજકોટ ગેમ ઝોન આગ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા આત્માઓની શાંતિ અર્થે મોરબીના મહેન્દ્રનગર સ્થિત રામધન આશ્રમ ખાતે શ્રદ્ધાંજલિ અર્થે ધૂનનું આયોજન કરાયું હતું. જેમાં રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી મા અને ભક્તોએ ઉપસ્થિત રહીને ધૂન કરી હતી અને બે મિનિટનું મૌન પાળીને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી તેમ મુકેશ ભગતની યાદીમાં જણાવાયું હતું.
- text
- text