મોરબી : રવિવારે સતવારા સહકાર મંડળ દ્વારા નવમા સમુહલગ્નોત્સવનું આયોજન

- text


2 જૂનના એકસાથે 14 યુગલો પ્રભુતામાં પગલાં માંડશે

મોરબી : સતવારા સહકાર મંડળ મોરબી દ્વારા તારીખ 2-6-2024ને રવિવારના રોજ શક્તિધામ મંદિર, માધાપર ઓજી રોડ, પંચાસર રોડ અને વાવડીરોડ વચ્ચે, નીલકંઠ મહાદેવ મંદિરની બાજુમાં, મોરબી ખાતે નવમો સમૂહ લગ્નોત્સનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

આ સમૂહ લગ્નોત્સમાં એકસાથે 14 યુગલો પ્રભુતામાં પગલાં માંડશે. આ પ્રસંગમાં તારીખ 2ને રવિવારના રોજ સવારે 9 કલાકે ગણેશ સ્થાપન મંડપ મુહૂર્ત, સાંજે 6 કલાકે ભોજન સમારંભ, રાત્રે 9:30 કલાકે જાન આગમન, રાત્રે 10:15 કલાકે સામૈયું, 10:45 કલાકે હસ્તમેળાપ, રાત્રે 1 કલાકે આશીર્વચન, તેમજ રાત્રે 3:30 કલાકે કન્યા વિદાઈ કરવામાં આવશે.

- text