વાંકાનેર પંથકની અમરસર ફાટક શનિવારથી ત્રણ દિવસ રાત્રે બંધ રહેશે

- text


મોરબી : મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલ વાંકાનેર અમરસર હાઈવે પરના લેવલ ક્રોસિંગ નં. ૯૭-અમરસર ફાટક પર ટ્રેકને લગતી કામગીરી આગામી ૧ જૂનથી ૩ જુન સુધી રાતના ૧૦:૦૦ વાગ્યાથી સવારના ૦૬:૦૦ વાગ્યા સુધી ચાલનાર છે. જેથી આ અમરસર ફાટક પર વાહનોની અવર જવર માટે ૧૦:૦૦ વાગ્યાથી સવારના ૦૬:૦૦ વાગ્યા સુધી કુલ ૮ કલાક પ્રવેશ માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન વાહન-વ્યવહાર અન્ય રોડ પર ડાયવર્ટ કરવાનો રહેશે તેવું મોરબી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ અને નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરની યાદીમાં જણાવાયું છે.

- text