ઘરનો દરવાજો ખખડાવવાના ઝઘડામાં મોરબીના જેતપર ગામે વૃદ્ધની હત્યા

- text


મહિલાઓ વચ્ચે થયેલી બોલાચાલી બાદ પાડોશીએ કાંડ કરી નાખ્યો

મોરબી : મોરબીના જેતપર ગામે પાડોશમાં રહેતા શખ્સે રાત્રીના સમયે પાડોશીનો ઘરનો દરવાજો ખખડાવતા બનાવ અંગે પાડોશીના પત્નીને ફરિયાદ કરતા રોષે ભરાયેલ પાડોશીએ વૃદ્ધને માર મારી તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા વૃદ્ધનું મૃત્યુ નીપજ્યું હતું.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજન મોરબીના જેતપર ગામે પાવર હાઉસ પાસે રહેતા અરવિંદભાઈ ચંદુભાઈ આઘારીયાએ આરોપી મયુર હરખાજીભાઈ ઉર્ફે હરખાભાઈ માલણીયાત વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે આરોપી મયુરે ગત તા.27ની રાત્રે અરવિંદભાઈનો ઘરનો દરવાજો ખખડાવતા અરવિંદભાઈના પત્ની મનીષાબેન મયુરની પત્ની કાજલબેનને આ બાબતે કહ્યું હતું કે, કેમ તારો પતિ અમારો દરવાજો ખખડાવતો હતો. આ બાબતનો ખાર રાખી આરોપી મયુરે અરવિંદભાઈના પત્ની અને માતા સાથે ઝઘડો કરી બાદમાં અરવિંદભાઈના પિતા ચંદુભાઈ બાબુભાઇ અઘારીયા ઘેર ઘર પાસે એકલા હતા ત્યારે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી માર મારતા ચંદુભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. હત્યાના આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text