2 જૂને મોરબીમાં પંચશીલ ફાઉન્ડેશન દ્વારા યોજાશે સમૂહ લગ્ન

- text


મોરબી : આગામી તારીખ 2 જૂનના રોજ મોરબીમાં પંચશીલ ફાઉન્ડેશન દ્વારા માતા રમાબાઈ આંબેડકર સમૂહ લગ્ન સમિતિ આયોજિત ચોથા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીના ભડીયાદ રોડ પર આવેલા પરશુરામ પોટરી મેદાન ખાતે 2 જૂન ને રવિવારના રોજ ચોથો સમૂહ લગ્નોત્સવ યોજાશે. જેમાં 11 નવદંપતીઓ પ્રભુતામાં પગલાં પાડશે. સમૂહ લગ્નોત્સવ પ્રસંગે પંચશીલ ફાઉન્ડેશન દ્વારા સંસ્કાર બ્લડ બેંકના સહયોગથી સવારે 9 થી બપોરે 12-30 સુધી સમૂહ લગ્નોત્સવ સ્થળે જ બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સમૂહ લગ્નોત્સવમાં જોડાનાર દીકરીઓને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ કરિયાવર રૂપે ભેટમાં આપવામાં આવશે.

- text

- text