- text
મોરબી : જયદીપભાઈ વરમોરા દ્વારા તેમના પુત્ર મંત્રના પ્રથમ જન્મદિવસ નિમિત્તે 51 નાળીયેરમાં કીડીયારું પુરીને જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી છે. જેમાં વરમોરા પરિવાર દ્વારા નાળીયેરમાં કીડીયારું ભરીને 51 અલગ-અલગ જગ્યાએ જંગલમાં જમીનમાં ખાડો ખોદીને દાટીને, બાવળ અને બોરડીના ઝુંડમાં મુક્યા હતા. જેથી 51000 હજાર જેટલા નાના જીવોને ખોરાક મળતો રહે. ત્યારે આ પરિવારે પુત્રના જન્મદિવસની ઉજવણી નિમિત્તે અબોલજીવોની સેવા એજ પ્રભુસેવા એ વાક્ય સાર્થક કર્યું છે.
- text
- text