આગ દુર્ઘટનાના મૃતકોના આત્માની શાંતિ માટે મોરબીમાં નવકાર મહામંત્ર જાપ અને ધૂનનું આયોજન

- text


મોરબી : રાજકોટ શહેરમાં બનેલી આગ દુર્ઘટનામાં જીવ ગુમાવનારના આત્માની શાંતિ માટે આજે તારીખ 27 મેના રોજ મોરબીમાં નવકાર મહામંત્ર જાપ અને ધૂનનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીમાં પ્રેમ પરિવાર અને રોયલ પેલેસ ફ્લેટ ધારકો દ્વારા આજે 27 મે એ રાત્રે 9-30 થી 10 વાગ્યા દરમિયાન મોરબીના વસંત પ્લોટમાં આવેલા રોયલ પેલેસ ખાતે નવકાર મહામંત્ર જાપ અને ધૂનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ ગેમ ઝોન આગ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવશે.

- text

- text